We Welcome u in the Blog of CRC Gamdi

Hello , We welcome u in CRC Gamdi's Blog, here is one type of attempt to involve u in our Primary Education field and want to know your thinking and your attitude for Primary Education. We need your support for this and we welcome your advise to improve and to do our field better . For that u can contact us on ravi_parekh9@yahoo.com and also call us on 9924361400. You can also send us your thoughts and experiences to ravee928.rami@blogger.com it directly come on my blog and we all will inspire by that...so why are waiting for just start working and join us to do better in Primary education feild....................



Ravi Parekh, CRC Gamdi.,Dascroi,A'bad.

A suggestion to improve the education in India by "UDAYAN"

My Massage
By practical views , hit the mark to serve the practical usage to the education system in India.Lets go back to from where the current education system evolved to its present state. During industrial revolution in england, skilled workers were required & hence the idea of education system started. But the main object was to produce skilled labor not skilled leader or entrepreneur.
This is the reason we have series of slaves being produced to serve the masters will.. So join with me to make our education better.
We need a school/institute that breeds leaders not slaves no matter how qualified they may be in the existing system of education..

Indian education before Britishers ruled over India

Saturday, September 04, 2010

મારે તો હું ભલો ને મારું ગુજરાત ભલું : મોદી - dont have any plan to become prime minister says n - www.divyabhaskar.co.in

મારે તો હું ભલો ને મારું ગુજરાત ભલું : મોદી - dont have any plan to become prime minister says n - www.divyabhaskar.co.in Ravi Parekh, CRC Gamdi, Dascroi,A'bad.

www.divyabhaskar.co.in: ચેસ, બોલ, ચોપાટ રમત નહીં, પણ અભ્યાસનાં સાધન - chess ball not for game but for education - www.divyabhaskar.co.in

This page was sent to you by: ravee928@gmail.com
-------------------------------------
ચેસ, બોલ, ચોપાટ રમત નહીં, પણ અભ્યાસનાં સાધન - chess ball not for game but for education - www.divyabhaskar.co.in
#SLUG_INTRO_SHARE

Log on to : http://www.divyabhaskar.co.in
-------------------------------------
Message from ravee928@gmail.com
Teachers day Special..
-------------------------------------

** Disclaimer ** This is a public forum provided by divyabhaskar.co.in for its users to share their views with friends/public at large. divyabhaskar.co.in is not responsible for the content of this email. Anything written in this email does not necessarily reflect the views or opinions of divyabhaskar.co.in. Please note that the email address of the sender has not been verified.

Sunday, August 29, 2010

Website launching

Click Me!
નમસ્કાર મિત્રો,
આપ સહુ ને જણાવતા આનંદ થાય છે કે સી.આર.સી. ગામડી ની ઓફ્ફીસીઅલ વેબસાઈટ હવે તમે www.raviparekh.com ઉપર તમે જોઈ શકશો.અને શિક્ષણ માં આપની સહભાગીતા આપી અમને પ્રોત્સાહન પૂરું પડશો..
    તદુપરાંત આજ રોજ આ વેબસાઈ ને ખુલ્લી મુકતા હું હર્ષ ની લાગણી અનુભવું છું, અને આપ સૌ ની શિક્ષણ માં સહભાગીતા ની અપેક્ષા રાખું છું.
                                                                      
                                                                 સી.આર.સી. કો.ઓં. ગામડી
 
FREE Animations for your email - by IncrediMail! Click Here!

Monday, August 16, 2010

Hon. C.M. Gujarat

"Attitude is the only thing which makes you win "

Wednesday, April 21, 2010

બાળકોને એમની રીતે વિચારવાની આઝાદી આપો

બાળકોને એમની રીતે વિચારવાની આઝાદી આપો

 
છઠ્ઠા ધોરણમાં હિંદી ભણાવતા અમારા ટીચરે અમને 'આળસ' વિશે નિબંધ લખવા માટે કહ્યું. નિબંધ ૩૦૦ શબ્દોમાં જ લખવાનો હતો.મોટા ભાગે દરેક કલાસમાં એક આઇન્સ્ટાઇન હોય છે, જે તેની ઉમર અને સમયથી આગળ ચાલે છે. અમારા કલાસમાં પણ એક હતો. તેણે જે નિબંધ લખ્યો તે ૩૦૦ શબ્દોથી ઓછો હતો છતાં ટીચરને તેનો નિબંધ પસંદ ન આવ્યો. તેને ત્રણ કલાક સુધી કલાસની બહાર ઊભો રાખવામાં આવ્યો. તેણે લખ્યું હતું, 'હું નિબંધ નથી લખી રહ્યો. આ આળસ નથી તો શું છે?' તે નિયમના હિસાબે ચાલ્યો. હવે તમે જ જણાવો કે તેનો નિબંધ કેવી રીતે ખોટો હતો?


ચાલો, એક બીજી તસવીર પર ઘ્યાન આપીએ. વલ્ર્ડ ઇન્ટેલિજન્ટ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના હાલના રિપોટર્ અનુસાર અમેરિકાએ ૪૫,૦૦૦, જાપાને ૩૦,૦૦૦, જર્મનીએ ૧૬,૦૦૦, ચીને અંદાજે ૮૦૦૦ પેટન્ટ્સ ફાઇલ કરી છે. આપણે ત્યાંથી સૌથી વધારે એન્જિનિયર્સ અને સાયન્સ ગ્રેજ્યુએટ નીકળે છે, તેમ છતાં 'ઇનોવેશન' જેવી બાબતોમાં આપણે ખૂબ પાછળ છીએ. આપણે સર્જનાત્મક વિચારોની છૂટ નથી આપતા. ટીચર માટે નિબંધ લાંબો હોવો જોઈએ. જોકે તે લાંબો ન થાય તે માટે મર્યાદા પણ નક્કી કરી. પરંતુ તેમણે એ શકયતાની જગ્યા જ ન રાખી કે લાંબા નિબંધને એક લીટીમાં પણ કહી શકાય છે. આખરે આ જ તો સર્જનાત્મકતા છે.


માત્ર કાર્યાલયોમાં જ નહીં, પરંતુ શૈક્ષણિક વ્યવસ્થામાં પણ આપણે પદાનુક્રમના આધારે કામ કરીએ છીએ. આપણા મહાવિધાલયોનાં નામ જોશો તો જણાશે કે તેનાં નામ-... સાયન્સ, કોમર્સ એન્ડ આટ્ર્સ કોલેજ હોય છે. આખરે સાયન્સને પહેલું શા માટે રાખવામાં આવે છે? આટ્ર્સ પહેલા કે બીજા નંબરે કેમ ન હોઈ શકે? આપણે તર્ક-વિતર્કને વધુ મહત્ત્વ આપીએ છીએ. તર્ક ત્યારે જ આપી શકાય, જ્યારે તમારી પાસે કોઈ વૈજ્ઞાનિક સાબિતી કે આધાર હોય. આ જ કારણે આપણે ઉપરોકત ઉદાહરણના સંદર્ભમાં સજાને એ આધારે યોગ્ય ઠેરવીએ છીએ કે 'નિબંધનો મતલબ છે લાંબી સ્ટોરી. વિધાર્થી કોઈ લાંબી સ્ટોરી લખ્યા વિના પોતાની વાત ન કહી શકે. જો એક લાઇનમાં જ આખી વાત કહી દેવામાં આવે તો પછી તે નિબંધ નથી. બાળકોને તે હિસાબે જ વિચારવા દો, જે રીતે તેઓ વિચારવા માગે છે.

ફંડા એ છે કે બાળકો પર કયારેય વર્ષોથી ચાલી આવતી રૂઢ પરંપરા ઢોકી બેસાડવાની કોશિશ ન કરો. તેમને ઉન્મુક્ત રીતે વિચારવાની આઝાદી આપશો તો આવનારી પેઢી માટે નિબંધની પરિભાષા અલગ પણ હોઈ શકે છે.
 
Posted by
Ravi Parekh,
CRC Gamdi, Dascroi, A'bad

Tuesday, April 13, 2010

शिक्षा क्या है ?

शिक्षा क्या है ? क्या कोई बड़े पाठशाला मे पढाई करके डॉक्टर या समाहर्ता बन जाना शिक्षा है ? क्या कोई बहु राष्ट्रिय कम्पनी का चीफ ऑफिसर बन जाना शिक्षा का एक भाग है ? मेने बचपन से लेकर आजतक शिक्षा के बारे मे मेने जानने का प्रयास किया मगर जितना जाना उतना ही ये प्रश्न और ज्यादा गहरा बनता गया .आखिर शिक्षा क्या चीज है ?



Dont forget to pass your comments on it ..

Ravi Parekh, CRC Gamdi, Dascroi,A'bad.

Sunday, April 04, 2010

Divya Bhaskar First Published: 00:50[IST](01/04/2010)

માત્ર કાયદાથી નહીં ચાલે, ખરેખર ભાર વગરનું ભણતર ઉપલબ્ધ કરવું પડશે
ભારતના બંધારણમાં નાગરિકને અપાયેલા મૂળભૂત અધિકારોમાં શિક્ષણ મેળવવાના અધિકારનો અત્યાર સુધી માત્ર સમાવેશ થતો હતો, તેનો અમલ કદી થયો ન હતો. વર્તમાન સરકારે શિક્ષણને શિક્ષણના મૂળભૂત અધિકારની વિભાવના, ગંભીરતા અને અનિવાર્યતા પારખીને ૬ થી ૧૪ વર્ષનાં તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરતો બંધારણીય સુધારો કર્યો છે.

પરિણામે દેશનાં લાખો વંચિત-પછાત બાળકોની જિંદગીમાં જ્ઞાનના પરોઢનો નવો ઉજાસ હવે રેલાશે. દેશમાં કુલ ૨૨ કરોડ બાળકો પૈકીના ૯૨ લાખ બાળકો શાળાએ જતાં નથી એવું સરકારી આંકડા કહે છે. એટલે આ ૯૨ લાખને હવે શિક્ષણ ઉપલબ્ધ બનશે એ વાતનો સૈદ્ધાંતિક સ્વીકાર થયો છે. શિક્ષણની ખરી જરૂર સંપન્ન વર્ગનાં નહીં, વંચિતોનાં બાળકોને છે. એટલે સરકારનું આ કદમ નવી પેઢીને ઉગારનારું બનશે. પરંતુ સરકારની ખરી કસોટી હવે થશે. આ કાયદાના અમલની જવાબદારી રાજ્ય સરકારોને માથે નાખી દેવાથી કે ૨૫ હજાર કરોડની ફાળવણી કરવાથી કંઈ સાર્થકતા મળવાની નથી. એના માટે આખું તંત્ર તૈયાર કરવું પડશે. ભાર વગરનું ભણતર ઉપલબ્ધ કરવું પડશે.

સુવિધાયુક્ત શાળાઓ, યોગ્ય શિક્ષકો, સક્ષમ અભ્યાસક્રમ ઉપરાંત વાજબી શિક્ષણેત્તર ખર્ચની જોગવાઈ કરવાની જવાબદારીમાંથી કેન્દ્ર કે રાજ્યની સરકારો છટકી શકશે નહીં. ખરી કસોટી તો હવે શરૂ થશે. દરેક બાળક શાળાએ જાય એટલું પૂરતું નથી. એને જરૂરી શિક્ષણ આપવું જોઈશે એ માટે હાલનો અભ્યાસક્રમ પણ સુધારવો પડશે. પરીક્ષા-મૂલ્યાંકન પદ્ધતિ સુધારી તેને વધુ અધતન બનાવવી પડશે.વળી શિક્ષણ ટયુશનકેન્દ્રી ન બની જાય એ પણ જોવું પડશે.

ઉપરાંત ભણતરની પળોજણમાં બાળકો બાળપણ ન ખોઈ બેસે એનો વિવેક પણ જાળવવો જોઈશે. જે વર્ગને માટે આ કાયદો ઉપયોગી બનવાનો છે તે વર્ગનાં બાળકો નાની વયે મજૂરી કરતાં અટકે એ માટે સરકારે પણ પ્રર્વૃત્ત થવું પડશે. સરકારી તંત્રનું ગજું ફરજિયાત શિક્ષણનો અમલ કરવાનું નથી. ખાનગી શિક્ષણ સંસ્થાઓએ પણ તેમાં સહભાગી બનવું પડશે.

ફરજિયાત શિક્ષણની અનિવાર્યતા સરકારને ભલે મોડે-મોડે સમજાઈ પરંતુ હવે આ જોગવાઈની ખરી સાર્થકતા જો હાંસલ નહીં થાય તો એ માત્ર પોથીમાંના રીંગણાં જેવી બની રહેશે.

Tuesday, March 30, 2010

સત્ય પરાજીત થતું જ નથી, તેને તો હંમેશાં વિજય જ મળે છે




 

સત્ય પરાજીત થતું જ નથી, તેને તો હંમેશાં વિજય જ મળે છે

Moraribapu
આજે હું આપની સમક્ષ ઊભા ઊભા જ બોલીશ. કારણ કે હું શિક્ષક હતો અને આજીવન શિક્ષક છું. શિક્ષક કદી બેઠેલો ન હોવો જોઈએ. ઊભેલો જ હોવો જોઈએ. હું આજે પણ શિક્ષક છું, માત્ર મારી વર્ગસંખ્યા વધી ગઈ છે. ખુરશી એક એવી છે કે જે આપણને અડધા ઊભા રાખે છે અને અડધા બેસાડે છે.

ઘણા માણસો ખુરશી માટે જ હોય છે અને ઘણી ખુરશીઓ માણસો માટે જ હોય છે. ખુરશી કયારે બેસાડે અને કયારે ઊભા કરે તે નક્કી નથી હોતું. અમુક ક્ષેત્રના માણસો બેઠા જ રહ્યા, ઊભા જ ન થયા એટલે તો દેશ ઊભો ન થયો. એવું કથાનું પણ છે. ઘણા કથા સાંભળવા આવે છે. ઘણા કથા સાંભળીને સમજવા આવે છે. તો ઘણા કથા સાંભળીને સમજીને અનુસરવા કે આચરણમાં મૂકવા આવે છે. વળી ઘણા પ્રસાદ પામવા પણ કથા સાંભળવા આવે છે. કે વ્યક્તિએ કથા સાંભળ્યા પછી બે વાર પ્રસાદ લેવાનું નક્કી વિચાર્યું. પહેલા જમણા હાથે પ્રસાદ લઈ હાથ પાછળ કરી દીધો.

ડાબા હાથે ફરી પ્રસાદ લેવા હાથ આગળ ધર્યોતો જમણા હાથનો પ્રસાદ પાછળથી કૂતરું ખાઈ ગયું અને આગળથી પ્રસાદ ખૂટી ગયો. લાલચમાં બે હાથે ભેગું કરવા જઈએ તો આવું થાય. શિક્ષકનો પ્રથમ ધર્મ એ તેનું સત્યનિષ્ઠપણું છે. સત્ય સમાન કોઈ ધર્મ નથી. પ્રત્યેક વ્યકિતનો પોતાનો મૌલિક સ્વભાવ, નિજ સ્વભાવ એ તેનો ધર્મ છે. ધર્મ એટલે સ્વભાવ, ઘર્મ એટલે કાનૂન, નીતિનિયમ.

દેશકાળની નીતિ પ્રમાણે ઘડેલા કાનૂન-નિયમો તે પણ ધર્મ જ છે. શિક્ષકનો પ્રથમ ધર્મ એ છે કે તે સત્યનિષ્ઠ હોય. સત્યનિષ્ઠ રહેવું ઘણું કિઠન છે. ઊચા આસને, ઊચી ખુરશી પર બેસવું, ઊચાઈઓ સર કરવી અઘરી નથી, પરંતુ આ ઊચા આસને ટકી રહેવું ખૂબ અઘરું છે. સત્ય પાછું પ્રિય પણ હોવું જોઈએ.

સત્ય કદાપિ કડવું હોતું નથી. મને એ ખબર પડતી નથી કે લોકો શા માટે 'કડવું સત્ય' એમ કહેતા હશે? સત્ય કયારેય કડવું હોય જ નહીં, સત્તયને કડવું કરવામાં આવે છે. સત્યના માર્ગે મુશ્કેલી પડે તે વાત પણ ઠીક નથી. સત્યના માર્ગે જે જાય છે તેને મુશ્કેલી પડતી જ નથી. સત્યનો ક્યારેય પરાજય થતો જ નથી. તેને તો હંમેશાં વિજયની વરમાળા જ મળે છે.

શિક્ષકનું અઘ્યાપનકાર્ય સત્ય હોવું જોઈએ. તેમાં સહેજ પણ અસત્યનો બેસૂરો રણકાર ન હોવો જોઈએ. શિક્ષક અને ફિલ્ડ માર્શલ કે સેનાપતિની રખેવાળી - જવાબદારી સરખી છે. બંને સમાજના રખેવાળ છે, સંરક્ષક છે, સમાજની અપેક્ષાઓને તુષ્ટિ અને પુષ્ટિ આપનારા છે. સંસ્કતિના સંવર્ધક છે.


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

Saturday, March 20, 2010

Fw: યોગ્ય વ્યક્તિઓને આગળ કરવા જોઈએ

યોગ્ય વ્યક્તિઓને આગળ કરવા જોઈએ

 
bill-clinton.jpgથોડા દિવસ અગાઉ બે અમેરિકન પત્રકારો ઇયુના લી અને લોરા લિંગને ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બિલ કિલંટન ઉત્તર કોરિયાથી છોડાવી લાવ્યા. આ મહિલા પત્રકારોને ઉત્તર કોરિયા દ્વારા ૧૨ વર્ષની કેદની સજા કરવામાં આવી હતી.


ખાસ આ ઉદ્દેશ્યથી યાત્રા પર ગયેલા કિલંટનનું આ અભિયાન વીસ કલાકમાં સમાપ્ત થયું. બોબ હોપ એરપોર્ટ પર પ્લેન ઊતરતાં જ દરવાજામાંથી બંને મહિલા પત્રકારો પહેલા બહાર નીકળી.


બંને મહિલાઓનો પરિવાર ત્યાં તેમની રાહ જોતો હતો, જેને નીચે ઊતરી તેઓ ભેટી પડી. અશ્રુથી છલકાયેલી આંખે ઇયુના તેના પતિને ભેટી અને ચાર વર્ષીય પુત્રી હાનાને ઊચકી લીધી. લોરાએ લાંબા વિયોગ બાદ પોતાના પતિને ચુંબન કરીને વિયોગ સમાપ્ત થયાનો અહેસાસ કરાવ્યો. તે વખતે ત્યાં અનેક મીડિયાના કર્મચારીઓ ઉપસ્થિત હતા, જે તે તસવીરો ખેંચી રહ્યા હતા.


ઉલ્લેખનીય છે કે તે બંને પત્રકારો કેટલાક સમયથી વિવાદોના કેન્દ્રમાં હતા. બંને પત્રકારો પૂર્વ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ અલ ગોરની ટેલિવિઝન કંપનીમાં કામ કરતી હતી.


બે મિનિટ દસ સેકન્ડ પછી, જયારે મીડિયાના કર્મચારીઓ તે પત્રકારોની પૂરતી તસવીરો લઈ ચૂકયા હતા, કિલંટન વિમાનમાંથી બહાર આવ્યા અને અલ ગોરને ભેટયા. બીજા દિવસે કોઈ પણ અગ્રણી અખબારમાં કિલંટન અને અલ ગોરની તસવીર પ્રકાશિત નહોતી થઈ. દરેક અખબારોમાં બંને પત્રકાર અને તેમનો પરિવાર જ ચમકયો હતો.


કિલંટન થોડા વખત પછી પ્લેનમાંથી ઊતર્યા અને તે પત્રકારોને તેમના પરિવાર સાથે મળીને ઘરે પરત ફર્યાનો સુખદ અહેસાસ પ્રાપ્ત કરવાની તક આપી. જો આ ઘટનાક્રમ આપણા દેશમાં થયો હોત તો આપણા નેતા વિમાનમાંથી પહેલા ઊતરત અને તે બંને મહિલા પત્રકારો સાથે મીડિયાને પોઝ આપતા હોત. અહીંયાં તે પત્રકારોને ભાગ્યે જ તેમના પરિવાર સાથે એકલા મળવા દેવાયા હોત.


આ સ્થિતિમાં બિલ કિલંટનના વ્યવહાર પરથી શીખ મેળવવી જોઈએ કે પરિસ્થિતિ અનુસાર સુપાત્રોને યોગ્ય મહત્ત્વ આપવું જોઈએ. ફંડા એ છે કે દરેક વખતે લાઇમ લાઇટમાં રહેવાને બદલે, જે યોગ્ય છે તેમને પ્રસિદ્ધિની તક આપવી જોઈએ. એક શ્રેષ્ઠ લીડરની આ ઓળખ છે..


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

ક્ષમતાઓની ધાર કાઢતાં રહો

ક્ષમતાઓની ધાર કાઢતાં રહો

 

keysuccessસચિન તેંડુલકર જેવા ધુરંધર ક્રિકેટરને એવું શીખવવાની જરૂર નથી હોતી કે પાકિસ્તાની ઝડપી બોલરોનો મુકાબલો કેવી રીતે કરવો જોઈએ? જોકે, રમત સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે ક્રિકેટની વિવિધ બાજુઓ અંગે તેમને સમયાંતરે કોચિંગ આપવું જોઈએ સાથે સાથે સચિને પણ અભ્યાસ માટે સમય ફાળવવો જોઈએ.


પ્રતિષ્ઠિત કોર્પોરેટ ગૃહોના ઉચ્ચ સ્તરના ટ્રેનર્સનું માનવું છે કે આ વાત કોર્પોરેટ ક્ષેત્રે પણ લાગુ પડે છે. દુનિયાભરની સફળ સંસ્થાઓએ પોતાના અધિકારીઓ અને કર્મચારીઓના સંપૂર્ણ વિકાસ માટે તાલીમને અનિવાર્ય બનાવી છે.


તમે દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓને પૂછશો કે તેમણે છેલ્લાં પાંચ વર્ષમાં કેટલા કોચિંગ કાર્યક્રમોમાં ભાગ લીધો છે, તો તેમનો જવાબ આશ્ચર્યચકિત કરનારો હશે. મોટા ભાગના લોકોનો જવાબ 'એક પણ નહીં' હશે!


એક્ઝિક્યુટિવનું કોચિંગ એક ઉચ્ચ સ્તરનો અને ગોપનીય કાર્યક્રમ હોય છે, જે તેમને પોતાની ક્ષમતા અને પ્રતિભાને નિખારવામાં મદદ કરે છે. કોચ તેમને ચીલાથી અલગ વિચારવા, તેના પર અમલ કરવા અને અપેક્ષિત પરિણામ કે લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. મોટા ભાગે કોચ સંસ્થાની બહારના હોય છે, જેમની સાથે કર્મચારી કે અધિકારીની બહુ ઓછી વાતચીત થતી હોય છે.


તેનો ઉદ્દેશ્ય જવાબદારીઓ માટે તેમનામાં નેતૃત્વના ગુણોનો વિકાસ કરવાનો તો હોય છે જ, સાથે ભવિષ્યના પડકારોનો સામનો કેવી રીતે કરી શકાય તેની તાલીમ પણ આપવાનો છે. યોગ્ય પગલાં ભરવાં, પ્રદર્શનમાં સુધારો કરવો, વ્યક્તિગત વિકાસ અને સંસ્થા માટે લક્ષ્ય હાંસલ કરવા - આ પ્રકારના કોચિંગથી ખૂબ મદદ મળે છે.


હાલમાં જ થયેલા એક સર્વેક્ષણ અનુસાર દેશની કંપનીઓના મુખ્ય અધિકારીઓ અને કર્મચારીઓએ છેલ્લાં દસ વર્ષમાં પોતાના પ્રદર્શન અને ક્ષમતામાં સુધારો લાવવા માટે કોઈ તાલીમ નથી લીધી. ફંડા એ છે કે આધુનિક સમયની જરૂરિયાત છે કે ઓછામાં ઓછા ત્રણ વર્ષના અંતરે પોતાની ક્ષમતા અને પ્રતિભા નિખારવા માટે કોઈ તાલીમ કાર્યક્રમમાં ભાગ લો. તમારી ક્ષમતાઓ, તમારી આવડત બુઠ્ઠી ન થઈ જાય તે માટે તેની 'ધાર' કાઢતાં રહો.

 



The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

બાળકો ખુશખુશાલ રહેવા જોઈએ.


 



બાળકો ખુશખુશાલ રહેવા જોઈએ

child.jpgઆખી જિંદગી બાળપણની પળો ભૂલી શકાતી નથી, પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે આપણા દેશમાં એવા કરોડો બાળકો છે, જે કયારેય શાળામાં જઈ શકયા નથી અને કાળી મજૂરી કરવા મજબૂર છે.
મારા શાળાના દિવસો મારી જિંદગીના સૌથી યાદગાર દિવસો હતા.

તમારામાંથી પણ ઘણાંબધાં માટે આવું જ હશે. દરેક બાળકમાં શાળાના સમયકાળ દરમિયાન શીખવાની જિજ્ઞાસા હોય છે, મિત્રતાનો રોમાંચ અને વર્ગખંડનું વાતાવરણ આનંદદાયી હોય છે.

આખી જિંદગી પોતાના જીવનની આ આનંદની ભરપૂર પળો ભૂલી શકાતી નથી, પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે આપણા દેશમાં એવા કરોડો બાળકો છે, જે કયારેય શાળામાં જઈ શકયા નથી. આવાં વંચિત બાળકો દરરોજ આપણા ઘરોમાં, હોટલોમાં અને ઢાબાઓમાં ગુલામની જેમ કાળી મજૂરી કરે છે.

આ 'બાળમજૂરીની સમસ્યા' વિશે હું નાનપણથી જ સાંભળતો આવ્યો છું, પરંતુ મુશ્કેલી એ છે કે આજે પણ આ બાબત પર માત્ર ચર્ચાઓ જ થાય છે. શું આપણે આ દૂષણ હટાવવા માટે કશું જ નથી કરી શકવાના? એક કહેવત છે, 'જયાં સુધી ચોર પોતે જ ચોરી કરવાનું નહિ છોડે, ત્યાં સુધી આપણે ચોરી જેવા અપરાધને નાબૂદ કરી શકતા નથી. આપણે એ સમજવાની જરૂર છે કે આપણા દેશમાંથી બાળમજૂરીનું દૂષણ નાબૂદ કરવું એ આપણા સૌની જવાબદારી છે.

આ બાળકોને પણ શાળાએ જવા દો અને એ આનંદદાયક પળોને જીવવા દો, એ પળો જેને આપણે આજે પણ યાદ કરીએ છીએ. આપણે એમને એક તક તો આપીએ, મને વિશ્વાસ છે કે એમનામાંથી જ કેટલાક ભવિષ્યમાં એન્જિનિયર, વિજ્ઞાની, ડોક્ટર જ નહીં પણ એક પ્રભાવશાળી નેતા બનીને આપણને આશ્ચર્યચકિત કરી શકે છે. આપણે બાળમજૂરી દૂર કરીને એક એવું ભારત બનાવીએ જે દુનિયાનું નેતૃત્વ કરી શકે. -

.


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

Thursday, March 18, 2010

ગાંધી કેવી રીતે બનાય ?

                                ગાંધી કેવી રીતે બનાય ?

ગાંધી કેવી રીતે બનાય ? ગાંધીજી એક સમાજસેવક તરીકે જે રીતે કાર્ય કરતા હતા એ બરાબર જોવા - સમજવાથી અને હિંમત ચાલે તો પછી અનુસરવાથી, એવો જવાબ આપી શકાય. ગાંધીજીને સમજવા માટે તેમના દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય ફાર્મના જીવનકાળને બરાબર જોવો પડે. એક માણસ વહેલી પરોઢથી રાતે ૯-૧૦ વાગ્યા સુધી, પળવાર પગ વાળ્યા વિના, એક પછી એક પ્રવૃત્તિ કેવી રીતે કરતો રહે છે, એ ગાંધીની એક દિવસની દૈનંદિની જોઈએ તો સમજાય. સતત કામ કરવું, એક જ જેવું કામ કશાય કંટાળા - કચવાટ વિના કરવું, એવું જ કામ કરવા અન્યોને પ્રેરવા, એકદમ ધીરજથી મંડયા રહેવું, નાનાં અને નગણ્ય લાગતાં કામ પૂરી લગન અને ચીવટથી કરવાં એ બધાં ગાંધી તત્ત્વો છે. ગાંધીજીના એક દિવસનો ફિનિક્સ આશ્રમનો ચિતાર પ્રભુદાસ ગાંધીએ આપ્યો છે, તે વાંચતાં જણાશે અને પેલા પ્રશ્નનો જવાબ પણ મળી જશે. બે દિવસ પછી ગાંધીજયંતી છે. માત્ર ખાદી ભંડારમાંથી લાવી ખાદીનાં વસ્ત્ર પહેર્યે ગાંધી નથી થવાતું, એ માટે સ્વાવલંબન અને સ્વાશ્રય આવશ્યક બને છે. ગાંધીજયંતી નિમિત્તે ગાંધીના એક દિવસ સાથે યાત્રા કરીએ.




એક સાંજે ટોલ્સ્ટોયવાડીનો આખો કબીલો લઈને બાપુજી ફિનિક્સ આવી પહોંચ્યા અને તેમનું મુખ્ય મથક ફિનિક્સ બન્યું. હું એ સૌનું જમવાનું જોવા ગયો. ત્યાં લાંબા ટેબલની ચોપાસ પચીસ-ત્રીસ જણ મૂંગે મોઢે ઊંધુ ઘાલી જમી રહ્યા હતા અને એકલા બાપુજી ઊભે પગે ટેબલની પ્રદક્ષિણા કરતા ખાવાનું પીરસી રહ્યા હતા. દરેકની પાસે એનેમેલનું એક એક ધોળું તાંસળું અને ચમચો હતાં. દાળ, ભાત, શાક, રોટલી બધું એ જ તાંસળામાં બાપુજી પીરસતા હતા.

રાત પડયે સભા થઈ, ભજનો ગવાયાં. પછી બાપુજીનું પ્રવચન થયું. તેનો જે સાર યાદ રહ્યો છે તે અહીં આપું છું :

"જે કાચાપોચા હતા તે પોતપોતાનાં સગાંવહાલાંઓ પાસે ચાલ્યા ગયા છે. જે અહીં આવ્યા છે તે સમજપૂર્વક આવ્યા છે. અહીં આવીને કેદીનું કડક જીવન આપણે ગાળવાનું છે. જેલના કઠણ જીવન પ્રત્યે જેને અણગમો હોય તે હજીયે પાછા જઈ શકે છે. વખત આવ્યે જેલ જવાની જેને હોંશ હોય તે જ અહીં રહે. અને એમ તો જ બને જો આપણે કેદમાં જ છીએ એમ માની સવારથી સાંજ સુધી વરતીએ."

"આપણા ખાવામાં, પીવામાં, પહેરવામાં કેદીથી પણ વધુ સખ્તી હોય, તો જ કેદમાં ગયા પછી આપણને અકળામણ ન ઊપજે. ધારો કે કેદમાં જવાનું ન થાય અને હિન્દુસ્તાન જવાનું થાય, તોપણ આપણે સાદાઈ અને કડક વ્રતો પાળવાં જ જોઈએ. હિન્દુસ્તાનમાં જઈને આપણે અહીંના કરતાં પણ વધુ કામ કરવાનું છે. આ બધું કરવાને તમે તાજા થઈ જાઓ એ સારુ હું તમને સાત દિવસની છુટ્ટી આપવાનો છું. આવતા રવિવારની સાંજ સુધી તમે મન ભરીને રમી લો, આળસ કરી લો અને જે મજા કરવી હોય તે માણી લો. પછી આપણે કસીને કામ કરશું."

છુટ્ટીઓને છેલ્લે દિવસ સૂરજ ઊંચે ચડયા પછી નાનામોટા સૌ નાળા ઉપર નાહવાધોવા ગયા, ત્યારે હાથમાં વાળ કાપવાનો સંચો લઈને બાપુજી નાળા પર આવી પહોંચ્યા. એમણે રૃપાળા ગુચ્છાવાળા એક છોકરાને બોલાવ્યો અને ચારપાંચ મિનિટમાં તેના માથાના વાળ સફાચટ કરી નાખ્યા. બધા છોકરાઓમાં છૂપો હાહાકાર મચી ગયો. મહામહેનતે ઉછેરેલા પોતાના વાળ બચાવવાની નાની સરખી દલીલ જેણે કરી, તેની સાથે જરાયે ચર્ચામાં ઊતર્યા વિના અને ધમકાવ્યા વિના બાપુજીએ તેને સમજાવી દીધું કે, "આજથી વખત બદલાયો છે. હવે જૂના શોખ વિસારે પાડવાના છે. એ વિસારવા ન પોસાય તો આવતી કાલથી શરૃ થનારા નવા સત્રમાં જોડાવાનું માંડી વાળો ને ઘર ભેગા થાઓ." કલાક - સવા કલાકમાં તો પંદર-સત્તર જણાને મૂંડીને બાપુજી ઝપાટાભેર આગલો કાર્યક્રમ પૂરો કરવા ઘેર પહોંચ્યા.

છોકરાઓ પણ કઠણ હૈયે નાહીપરવારી બાપુજીની પાછળ પાછળ ભોજનના મેજ પર પહોંચ્યા. વાતો, ગપ્પાં વગેરે સુકાઈ ગયું. સૌ મૂંગા મૂંગા ભાણે બેઠાં.

ફિનિક્સમાં સાધારણ રીતે પરોઢિયે ત્રણેક વાગ્યે  અને કેટલીયે વાર તો અધરાત પછી દોઢ-બે વાગ્યે  બાપુજી પથારી છોડી, દીવો સળગાવી સવાર પડતાં સુધી એકચિત્તે લખવાનું કામ કરતા. નિશાળ, છાત્રાવાસ અને રસોડું એમ ત્રણ જુદી જગ્યાએ વિદ્યાર્થીઓ સૂતા. એકએકની પથારી પાસે જઈ, એમને ઢંઢોળીને જગાડવામાં બાપુજીની સવારનો અર્ધોપોણો કલાક જતો. પો ફાટયે જગાડવા માંડયા હોય, તે બધા ઊઠીને ભેળા થતાં સુધીમાં બાલસૂર્યનાં કિરણો દેખા દેતાં છતાં બાપુજી એ જહેમત કરતાં કદી અધીરા બન્યા હોય એવું મને સાંભળતું નથી.
હોશિયાર માળી પરોઢિયે ઊઠી ધીરજથી એકેક છોડના ક્યારામાં હાથફેરો કરી તેના વિકાસનું અવલોકન કરે, તેમ બાપુજી રોજરોજ પોતાના દરેક વિદ્યાર્થીની પથારી પાસે પ્રભાતમાં પહોંચી જઈ તેની પ્રગતિનું નિરીક્ષણ કરવાનું ન ચૂકતા.

દાતણ ઊકલે ત્યારે મોટો ઘંટ ધણેણી ઊઠતો અને બાળકો, મોટાઓ અને બાપુજી પોતપોતાની કોદાળી, પાવડા કે દાતરડું લઈ ઠરાવેલી જગ્યાએ પહોંચી જતા.

ફિનિક્સને જુદે જુદે ખૂણે ત્રણ ટોળીઓમાં સવારના બે કલાક ખરેખરી મજૂરી ચાલતી. નબળા, નાના અને નગુણા છોકરાઓને બાપુજી પોતાની ટોળકીમાં રાખતા. આઠનો ઘંટ વાગ્યે સૌ રસોડે નાસ્તા માટે જતા.

નવ વાગ્યે તો ફરીથી ઘંટ ગાજી ઊઠતો. આ ઘંટે અમે છોકરાઓ નિશાળે પહોંચતા અને મોટાઓ ફરી પાવડા લઈ બગીચાઓમાં કામે ચડતા. બે કલાકની અમારી એ શાળા વિદ્યારાશિથી છવાયેલા કોઈ વિદ્યાલય કરતાં લગીરે ઓછી ગંભીર ન હતી. શિક્ષક અને વિદ્યાર્થીની એકાગ્રતા, ભણવા - ભણાવવાનો રસ અને પૂરો પરિશ્રમ ત્યાં હતાં.
અગિયાર વાગ્યા સુધી તડામાર ભણતર ચાલતું. અડધા-પોણા કલાકે ટકોરા થતાં વારા પ્રમાણે ભણાવનારા શિક્ષક અમારી પાસે આવી પહોંચતા.

 કેટલીક વાર ગુરુજીના પગે ખેતરનો થોડોઘણો ગારો વળગેલો હોય, એમના પહેરણની બાંય કોણી સુધી ચડાવેલી હોય, અને વચ્ચે આવી પડેલું કામ પતાવી ઝટ પાછા ખેતરે પહોંચી જવાની ઉતાવળ એમના ચહેરા પર દેખાઈ આવતી હોય. એવી નિશાળ ભાગ્યે જ કોઈએ જોઈ હશે, જ્યાં ચાલુ નિશાળે મુખ્યાધ્યાપક પાસે પહોંચો તો તેમના હાથમાં વેલણ કે કડછી દીપી રહ્યાં હોય. નિશાળના બે કલાકનો મોટો ભાગ બાપુજી મોટા રસોડામાં મુખ્ય રસોઈયાનું કામ કરવામાં આપતા. પોતાના પચીસ - ત્રીસ બાળકોમાં કોઈને ભાગે કાચી કે બળેલી રોટલી ન આવે એની તેમને ફિકર રહેતી. પરોણાઓને મુલાકાત આપવાનું પણ આ સમયે ચાલતું.

જમીને વાસણ અજવાળ્યા બાદ એક વાગ્યે અમારો બપોરનો કાર્યક્રમ શરૃ થતો. એકથી પાંચ સુધી મોટેરાઓ છાપખાનામાં પોતપોતાનું કામ કરતા. 'ઈન્ડિયન ઓપીનિયન' માટે લેખો લખવાનો બાપુજીનો વખત પણ આ જ હતો. પરોઢિયે બે વાગ્યે ઊઠયા છતાં ખરે બપોરે ક્ષણભર ઝોલું લેવાની તો શું - બગાસું ખાવાનીયે ન હતી તેમને ફુરસદ કે ન હતો તેમના મન, બુદ્ધિ કે શરીરને તલભાર થાક ! જમીને સીધા તેઓ છાપખાનાના દફ્તરમાં પહોંચતા અને એકાગ્ર ચિત્તે સંપાદકીય અને પત્રવ્યવહારનું કામ ઉકેલતા. એમાંથીયે વખત બચાવી મોટા વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવા અર્ધો કલાક તેઓ અમારી નિશાળમાં આવી જતા. સવારથી સાંજ સુધી ફિનિક્સની અનેક પ્રવૃત્તિઓમાં સૂત્રોનું સંચાલન કરતા હોવા છતાં, નાના-મોટા દરેક ફિનિક્સવાસીની પ્રગતિ અને વિકાસની ચિંતા વહોરવા છતાં, અને એથીયે વધુ પોતાના આત્માને નિખારવાની મથામણમાં તલ્લીન હોવા છતાં, બાપુજી કેવળ ફિનિક્સના કૂંડાળામાં જ પુરાઈને નહોતા બેઠા. આખા દક્ષિણ આફ્રકિમાં એમની નજર ફરતી હતી. નાતાલ, ટ્રાન્સવાલ અને કેપ કોલોનીમાં વસતા હિન્દીઓ સાથેનો મીઠો સંપર્ક તેઓ વધારતા જ જતા હતા. હિન્દુ, ખ્રિસ્તી, મુસલમાન કે પારસી વેપારીઓ, નાનકડા ફેરિયાઓ અને ગિરમીટમાં પડેલા મજૂરો, સૌની અંગત મુશ્કેલીઓ દૂર કરવાની મળે, એટલે બાપુજી એ તકને એળે જવા ન દેતા અને એ રીતે ત્યાં વસતી આખી હિન્દી કોમને એમણે એકસૂત્રે બાંધી રાખી હતી.

થવું છે ગાંધી ? આટલું કરવાનો મનસુબો કરી બીજી ઓક્ટોબરેથી આરંભીએ તો એક વધુ ગાંધી જન્મી શકે. છે તૈયારી ?

યોદ્ધાની રણહાક :
આજે વીરતાનો નાશ થઈ ગયો છે. આપણી સ્ત્રીઓનું રક્ષણ કરવા જેટલી પણ આપણામાં શક્તિ નથી. ધોળે દહાડે ગામમાં ધાડ પડે. એક હજારની વસ્તીમાં આઠ માણસો આવી લુૂંટફાટ કરી ચાલ્યા જઈ શકે. આઠ માણસને હઠાવી ન શકે એવા તદ્દન દૂર્બળ ગામડિયા નથી પણ તેઓને મરણનો ભારે ભય છે. એવી લડાઈમાં પડી પોતાનું શરીર કોણ જોખમમાં નાખે ? એમ વિચારી ઘરમાં ભરાઈ રહે છે. જો આપણે આત્મરક્ષણની શક્તિ પ્રાપ્ત ન કરી શકીએ, તો જમાનાઓ સુધી સ્વરાજને માટે નાલાયક રહેવાના છીએ.


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

તમારાં બાળકોને જિજ્ઞાસુ બનાવો

તમારાં બાળકોને જિજ્ઞાસુ બનાવો

 
જો આપણે બાળકો સાથે શાંતિથી વાત કરીએ તો તેઓ ઝડપથી શીખે છે. તમે એ જોયું હશે કે કેટલીક વ્યક્તિઓ કોઈ ખાસ કામ તેઓ શા માટે કરી રહ્યા છે એ જાણ્યા વગર કરતા જ રહે છે. આવું એટલા માટે થતું હોય છે કેમકે બાળપણમાં તેમણે કેટલાક સવાલ પૂછ્યા નથી હોતા.


જો પૂછ્યા હશે તો તેમને સંતોષજનક જવાબ મળ્યો નહીં હોય. તેમને વધુ સવાલ ન પૂછવા ચેતવણી આપવામાં આવી હશે કે પછી ચૂપ રહેવાનું જણાવાયું હશે કે એમ કહેવાયું હશે કે જેટલું કહ્યું છે તેટલું કરો. વાલીઓ માટે એ જરૂરી છે કે તે બાળકોના દરેક સવાલનો જવાબ આપે. જો જવાબ ના હોય તો તેમણે બાળકોને એવું કહેવું જોઈએ કે તેમનો સવાલ વાજબી છે અને તેઓ ટૂંક સમયમાં જ તેનો જવાબ આપશે. આ પદ્ધતિ બાળકોને શોધ કરવા માટે પ્રેરણા આપે છે અને તેનાથી વાલીઓ અને બાળકો વચ્ચે વાતચીતનું વાતાવરણ જળવાઈ રહે છે.


વાલીઓ પાસે દરેક સવાલોના જવાબ હોય એ જરૂરી નથી, પરંતુ વર્તમાન જિજ્ઞાસુ પેઢી માટે તેમણે એવા સવાલોના જવાબ શોધવા જોઈએ. જ્યારે બાળકોને સવાલ પૂછવા અંગે હતોત્સાહિત કરવામાં આવે છે ત્યારે આપણને જોવા મળે છે કે ધીમે-ધીમે સવાલ પૂછવાનું બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં બાળકો કયાં તો રેડીમેડ જવાબ શોધવા લાગે છે કે પછી જેવું તેમને કહેવાયું હોય કે તેમને જે દેખાતું હોય તેના અનુસાર કામ કરવા લાગે છે. બાળકોને નાની ઉમરથી જ પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરો.


તેમના સવાલોનો જવાબ આપતા સમયે તમારા શબ્દો અને વલણ ઠરેલું હોવું જોઈએ. તેને બાળક સમજીને ફોસલાવાનો પ્રયાસ કરવો નહીં. બાળકોને તેમની ઉમરના હિસાબે માહિતી મેળવવાનો અધિકાર છે. પોતાના જ્ઞાનના અનુસાર દલીલ સહિત જવાબ આપવાનો પ્રયાસ કરવો. જો જવાબની ખબર ન હોય તો એ બતાવતા ખચકાવું નહીં અને સાથે મળીને સાચો જવાબ શોધવાનો પ્રયાસ કરવો.જવાબ જાણવાની પ્રક્રિયામાં બાળક પોતાનો દ્રષ્ટિકોણ પણ સ્પષ્ટ કરી શકે છે. તેના માટે તેને પ્રેરણા આપવી જોઈએ. તેનાથી એ સ્પષ્ટ થઈ જશે કે તેની વાતને સારી રીતે સમજી છે કે નહીં.


જ્યારે આપણે બાળકોને તેમનો દ્રષ્ટિકોણ વ્યકત કરવાની છૂટ આપીએ છીએ ત્યારે આ રીતે આપણે તેમને પ્રેકિટકલ ક્રિટિકલ થિકિંગ પણ શીખવા આપીએ છીએ, જે તેમના વિકાસની દ્રષ્ટિએ અત્યંત જરૂરી છે. ફંડા એ છે કે જિજ્ઞાસુ હોવાનો માણસનો સ્વભાવ છે અને સવાલ પૂછવો શીખવાની મૂળભૂત આવશ્યકતા છે. વર્તમાન જિજ્ઞાસુ પેઢી માટે વાલીઓએ એવો જવાબ શોધવો જોઈએ જે તથ્યોથી ભરેલો અને સંતોષકારક હોય.


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

સાહેબ, મારે ભીખ નથી માંગવી ભણવું છે..!

સાહેબ, મારે ભીખ નથી માંગવી ભણવું છે..!
 
ચાર રસ્તા પર કાર ઊભી રાખીએ એટલે તરત જ દોડીને એક બાળક કાચ સાફ કરવા માંડે છે અને પછી કંઇક આપો તેવી કાકલુદી કરે છે. બાઇક ઊભુંુ રાખો એટલે આપણી પાછળ બેઠેલા વ્યકિત સાથે આપણે વાતોમાં મશગુલ હોઇએ ત્યારે બાજુમાં આવીને એક બાળક હાથ ફેલાવે છે અને પેટનો ખાડો પુરવાની આજીજી કરે છે. આપણા હૃદયમાં રામ વસે તો આપણે તેને કંઇક આપીએ છીએ, નહીં તો ધુત્કારીને કાઢી મૂકીએ છીએ. આ બાળકને પણ ભણીગણીને આગળ વધવું છે. પરંતુ તેના આ સ્વપ્નો તેની દયનીય આર્િથક પરિસ્થતિ સાથે અથડાઇને ચકનાચુર થઇ જાય છે.
ભીખ માંગતા અને કચરો વીણતા બાળકોના આવા સ્વપ્નોમાં પ્રાણ પુરવા વસ્ત્રાપુર અંધજન મંડળના નવા કેમ્પસમાં એક દંપતીએ ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવા 'સવેરા' શાળા ચાલુ કરી છે. તેમના આ વિચારને કેટલાક કરુણાહૃદયી સજ્જનોએ વધાવી લીધો અને બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું.

 

  • ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપતી શાળા 'સવેરા'નું  ઉદ્ઘાટન
આ શાળાને અહીં ચાલુ કરવાનું કારણ  આઇઆઇએમ કેમ્પસ આસપાસના વિસ્તારમાં કેટલાય લોકો ફૂટપાથ પર રહે છે. તેમના બાળકો દિવસે કચરો માંગવાનો કે પછી ભીખ માંગવાનું કામ કરે છે. જોકે તેમને આ કામ ગમતું નથી પરંતુ પરિવારની આર્િથક સ્થિતિને કારણે તેના માતા-પિતા તેમને આવું કામ કરવા મોકલે છે એટલે તેઓ જાય છે. છેલ્લા એક મહિનાથી આ શાળા ચાલુ કરાય છે. શાળા ચાલુ કરાય ત્યારે પ્રાયોગિક ધોરણે ચાલુ કરાય હતી. કારણ કે આ શાળામાં ચાલુ કરવા સામે મોટો પ્રશ્ન હતો સંખ્યા. માતા-પિતાના આગ્રહને કારણે ભીખ માંગવાનો અને કચરો વીણવામાંથી કેટલા લોકો શાળાએ આવશે તે શંકા હતી. એક મહિના સુધી સતત ૨૦થી૩૦ બાળકો દરરોજ શાળાએ આવતા, છેવટે 'સવેરા'ને કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય લીધો.
 
સવારથી બપોર સુધી ભીખ માંગવાનું કામ કરતા એક બાળકે કહ્યું હતું કે મારે શિક્ષણ લેવું છે પરંતુ મારા માતા-પિતા મને ભીખ માંગવા મોકલે છે. ઉપરાંત કચરો વીણવા જતી એક કિશોરીએ કહ્યું હતું કે તે શાળાએ જતી હતી પરંતુ કચરો વિણવાની કામગીરીને કારણે નિયમિત શાળાએ જઇ શકતી ન હતી. જેથી શાળામાંથી નામ કાઢી નાખવામાંં આવ્યું હતું.
 
આ શાળાઓ શરૃ કરવાનો વિચાર કંઇ રીતે આવ્યો તે અંગે નીતાબેન ત્રિવેદીએ કહ્યું કે હું અને મારા હસબન્ડ હરેશ ત્રિવેદીએ એક વખત મારા સેટેલાઇટ વિસ્તારના ફલેટ પરની બાલ્કનીમાં ઊભાં હતાં ત્યારે ત્યાં સામે બની રહેલી બિલ્ડિંગમાં કામ કરતાં મજૂરોના સંતાનોને ભટકતાં જોઇને તેમના બાળકોને શિક્ષણ આપવાની ઇચ્છા થઇ. ત્યારથી બાળકોને શિક્ષણ આપવા સાથે આ કાર્ય શરૃ કર્યું હતું.
અત્યારે શહેરના રિવરફ્રન્ટ પર કામ કરતા મજૂરોના બાળકોને શિક્ષણ આપવાનું પણ ચાલે છે. ઉપરાંત અહીંયા પણ આ શિક્ષણયજ્ઞા ચાલુ કર્યો છે. તેની સરકારી માન્યતા માટે પણ પ્રયાસો ચાલુ છે. જેથી આ બાળકોને આગળ સરકારી શાળામાં અભ્યાસ કરવો હોય તો કરી શકે. હાલ જીઇબીના ઇજનેર દુષ્યંત શાહ, નિવૃત્ત શિક્ષિકા હંસાબેન શાહ, સેપ્ટના વિદ્યાર્થીઓમાં સ્નેહલ અને અન્ય એક મેનેજમેન્ટ કન્સલટન્ટ પણ બાળકોને શિક્ષણ આપવા આવે છે.
 
ટોવેલ જોઈ ગરીબ બાળકોને આશ્ચર્ય
રસ્તા પર રહેતા પરિવારોનાં બાળકો આ શાળામાંં આવે છે. તેઓ આસપાસમાંથી કેરબા મારફત પીવા અને રસોઇ બનાવવા પુરતું પાણી લાવતાં હોવાથી નાહવાનું પાણી મળતું નથી. જેને કારણે તેઓ દરરોજ નાહતા નથી. સુલભ શૌચાલયમાં નાહવા જાય તો રૃ.૫નો ખર્ચ થાય એટલે તેઓ જઇ શકતાં નથી. શાળામાં પ્રથમ પાઠ તેમને સ્વચ્છતા અને વર્તણુંકનો શીખવાડાય છે. દરરોજ  નાહવાનું કહેવાય છે. બાળકો દરરોજ નાહી-ધોઈ શકે એટલે તેમને એક સેવાભાવી બહેને ટુવાલ આપ્યા હતા. પરંતુ આ ટુવાલ જોઇને બાળકોએ કહ્યુંં કે આ શું કહેવાય, ચાદર છે? અર્થાત તેમને એે પણ ખબર નથી કે નહાતી વખતે ટુવાલની પણ જરૃર પડે છે.
 
શાળાએથી છૂટી સીધા ભીખ માંગવા જતા
છેલ્લા એક મહિનાથી ચાલતી શાળામાં બાળકોને ભીખ ન માંગવાનું કહેવાય છે. પરંતુ પરિવારના આગ્રહ અને નબળી આર્િથક સ્થિતિને કારણે બાળકોને ભીખ માગવી પડે છે. સાંજે પાંચ વાગ્યે ચાલુ થતી શાળા મોડી સાંજે સાત વાગ્યે પૂરી થાય પછી કેટલાક બાળકો છૂટીને સીધા આઇઆઇએમ-એ  ચાર રસ્તા પર ભીખ માંગવા ઊભા રહી જાય છે. જોકે આ પ્રવૃત્તિ છોડવવા માટે હજુ સમય લાગશે તેવું શાળામાં સેવા આપતા સેવાભાવીઓનું કહેવું છે.


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

Wednesday, March 17, 2010

શિક્ષણ પણ હાઈટેક કેમ ન હોય?

શિક્ષણ પણ હાઈટેક કેમ ન હોય?


આધુનિક સમયમાં એજયુકેશન પણ હવે હાઈટેક બની રહ્યું છે. નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલના પાંચમા અને છઠ્ઠા ધોરણનાં બાળકોને આ મહિનાની પહેલી તારીખથી હાઈટેક રીતે શિક્ષણ મળવા લાગ્યું છે. આ સ્કૂલના દરેક ૫૪ કલાસરૂમમાં પરંપરાગત બ્લેકબોર્ડ, ચોક સ્ટિક તેમજ ડસ્ટરના સ્થાને હવે વિશાળ સ્ક્રીન જોવા મળી રહી છે. જોકે ત્યાં ખૂણામાં બ્લેકબોર્ડ હજુ પણ હાજર છે, જેનો ઉપયોગ પાવર કટ કે કોઈ ટેકિનકલ ખામી સર્જાતાં કરી શકાય.


સ્કૂલના પ્રાચાર્ય ફાધર અબ્રાહમ જોસેફનું આ વિશે કહેવું છે કે, 'વિઝ્યૂલ મીડિયા દ્વારા શીખવવું બહુ અસરકારક છે, કારણ કે તેના દ્વારા વિધાર્થીઓ વિવિધ બાબતો અંગે ઝડપથી સમજી શકે છે અને તેમના માટે શીખવું સરળ થઈ જાય છે. જોકે, એ વાત શિક્ષકના વિવેક પર નિર્ભર કરે છે કે તે વિધાર્થીઓને તેમના અભ્યાસક્રમ અને પુસ્તકો સિવાયનું જ્ઞાન કેવી રીતે આપે છે.' આ સ્કૂલ વિધાર્થીઓને ભણાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉપરાંત કલાસમાં થતી ગતિવિધિઓનું રેકોર્ડિંગ પણ કરે છે, જેથી જરૂર પડે તેને ફરીથી બતાવી શકાય.


શિક્ષકોને આ નવા ગેઝેટ વિશે લગભગ એક મહિના સુધી તાલીમ આપવામાં આવી. આ મહારાષ્ટ્રની પહેલી સ્કૂલ છે, જે સંપૂર્ણ રીતે હાઈટેક થઈ ગઈ છે. વાસ્તવમાં કોઈ વિધાર્થી કયારેક સ્કૂલે ન જઈ શકે કે પછી કલાસ મિસ કરી દે તો તે કલાસમાં ભણાવાયેલ પાઠની સોફટ કોપી લઈને પોતાના કમ્પ્યૂટર પર ચલાવી શકે છે. જો દસ ટકાથી વધુ વિધાર્થીઓ ગેરહાજર હોય તો તેમના માટે વિશેષ કલાસ પણ ચલાવી શકાય અને તેના માટે શિક્ષકે હેરાન પણ નહીં થવું પડે. અત્યાર સુધી શિક્ષક એક કલાસમાં એક જ વિષય ભણાવતા હતા. તેનો કંઈ


રેકોર્ડ પણ નથી કે તેઓ બાળકોને કેવું ભણાવતા હોય છે. કોઈ રેકોર્ડ ન હોવાને કારણે શિક્ષણની ગુણવત્તામાં સુધારાની શકયતા પણ ઘટી જાય છે.ફંડા એ છે કે એજયુકેશનમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. દેશભરમાં શાળાઓને હાઈટેક બનાવવી જોઈએ. તેનાથી શિક્ષણ પ્રક્રિયામાં નિશ્ચિત રીતે સુધારો આવી શકશે.
 
Ravi Parekh,
CRC co-ordi,,
Gamdi, Dascroi- A'bad..


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

બાળકો માટે સંઘર્ષ અને મૃત્યુનો અર્થ

બાળકો માટે સંઘર્ષ અને મૃત્યુનો અર્થ




 

બાળકો માટે સંઘર્ષ અને મૃત્યુનો અર્થ

 
બાળક પૂછે છે : 'શા માટે લોકો મરી જાય છે? હું નથી ઇચ્છતો કે લોકો મરી જાય.' એના કાકા પાસે કોઈ જવાબ નથી. એ માત્ર એટલું જ કહી શકે છે: 'તું મોટો થશે ત્યારે તને બધું સમજાઈ જશે.'


childrenમહાન ગ્રીક લેખક નિકોસ કઝાનત્ઝાકિસે (૧૮૮૩-૧૯૫૭) 'રિપોર્ટ ટુ ગ્રેકો' નામની નવલકથા લખી છે. એ નવલકથામાં એમણે એમના જીવનની વિગતોનું નિરૂપણ કર્યું છે. એમાં એમણે એમના બાળપણની વાતો પણ અદ્ભૂત સર્જનાત્મકતા સાથે નિરૂપી છે.


અહીં બે પ્રસંગો મૂકું છું, જેના પરથી સંઘર્ષનો અને મૃત્યુનો અર્થ બાળકને જીવનમાં પહેલી વાર કેવી રીતે પહોંચે છે એ બે મુદ્દાઓ સમજી શકાય છે.


નિકોસ જ્યારે ત્રણ વરસના હતા ત્યારે એમના પડોશમાં એક તુર્કી કુટુંબ રહેતું હતું. મા દરરોજ બીજાને ઘેર કામ કરવા જતી. એની ચાર વરસની દીકરી એમની એકલી ઘરમાં રહેતી.


તેની સાથે રમવા જવા માટે બાળક નિકોસને કેટલો બધો સંઘર્ષ કરવો પડે છે અને એ રીતે નાના બાળક માટે નાનપણમાં નાની વાતો પણ કેટલી વિકટ બની જાય છે તેની આ વાત છે.


લેખક લખે છે : 'એમીનની મા કયા સમયે ઘરની બહાર જતી તેની મને ખબર રહેતી. એ સમયે હું અમારા ઘરના શેરીમાં પડતા બારણા પાસે પહોંચી જતો અને એમીનને એના ઘરના ઉંબર પાસે બેઠેલી જોતો. એક દિવસ મેં ઇશારો કરીને એને જણાવ્યું કે હું એની સાથે રમવા માટે ત્યાં આવું છું, પરંતુ એના ઘરમાં પહોંચવા માટે ત્રણ પગથિયાં આવેલાં હતાં.


હું એના પર કેવી રીતે ચઢી શકીશ? મેં પ્રયત્નો શરૂ કર્યા. મને પરસેવો વળી આવ્યો, મેં ખૂબ પ્રયત્નો કર્યા, મહામહેનતે હું પહેલું પગથિયું ચઢવામાં સફળ થયો. હવે બીજું પગથિયું. એના પર ચઢવા માટે મારે ફરી નવો પ્રયાસ શરૂ કરવાનો હતો.


મેં એમીનની સામે જોવા માટે આંખો ઊચી કરી. એને તો મારા સંઘર્ષની કશી જ પડી નહોતી. મને મદદ કરવા માટે એણે હાથ લંબાવ્યો નહીં અને મને જોતી રહી, જાણે કહેતી હતી: જો તું એવું કરી શકે તેમ ન હોય તો પાછો વળી જા.


પરંતુ મેં બીજાં બે પગથિયાં ચડવા માટે અથાક મહેનત કરી અને છેવટે એ જ્યાં બેઠી હતી તે ઉંબરમાં પહોંચી ગયો. ત્યારે એ ઊભી થઈ, મારો હાથ પકડ્યો અને મને અંદર લઈ લીધો.' નાનપણમાં ત્રણ પગથિયાં પણ ચઢવા માટે કરવો પડેલો સંઘર્ષ લેખકને જિંદગીભર યાદ રહી જાય છે. એ એમની જિંદગીની પહેલી સફળતા હતી.


લેખકને બાળપણમાં મૃત્યુનો અર્થ પહેલીવાર કેવી રીતે સમજાય છે તેના વિશેનો પ્રસંગ પણ એમણે અદ્ભુત રીતે આલેખ્યો છે. એક બપોરે લેખક એમના કાકા સાથે ચર્ચ પાછળ આવેલા કબ્રસ્તાનમાં જાય છે. એ વખતે એમની ઉંમર ચાર વર્ષની છે. ચર્ચની પાછળ પહોંચે છે ત્યારે બાળક કાળાં વસ્ત્રો પહેરીને કબરની આજુબાજુ ઊભેલી ચાર-પાંચ સ્ત્રીઓને જુએ છે.


એ પુરુષો એક કબર ઉઘાડી રહ્યા છે. એમાંનો એક જણ ખુલ્લી કબરમાં ખાડો ખોદવા લાગે છે. બાળક પૂછે છે ત્યારે તેના કાકા કહે છે એ લોકો હાડકાં બહાર કાઢે છે. બાળકને સમજાતું નથી કે હાડકાં એટલે શું. થોડીવાર પછી ખાડો ખોડી રહેલો માણસ ઊભો થાય છે. એના હાથમાં ખોપરી છે. એ એના પરથી ધૂળ ખંખેરે છે.


આંખોના ખાડામાં આંગળી નાખીને માટી બહાર કાઢે છે. બાળક પૂછે છે 'આ શું છે?' કાકા કહે છે, 'તને દેખાતું નથી?' આ ખોપરી છે. 'બાળક પૂછે છે : 'કોની?' કાકા કહે છે 'તને યાદ નથી? આપણા ઘરની બાજુમાં અન્નિકા નામની સ્ત્રી રહેતી હતી? એની આ ખોપરી છે.'


બાળકને કશું સમજાતું નથી, છતાં એને લાગે છે કે કશુંક બરાબર નથી. એ રડવા લાગે છે. એ રડતો રડતો અન્નિકાને યાદ કરે છે. 'એ તો ખૂબ રૂપાળી હતી એના શરીરમાંથી સુગંધ ઊઠતી રહેતી. એ મારા ઘરે આવતી, મને એના ખોળામાં બેસાડતી, કાંસકાથી મારા વાળની ગૂંચ કાઢતી.


એ મને ગલીપચી કરતી અને હું હસતો - હું પક્ષીની જેમ ચહેકાટ કરી ઊઠતો.' કાકા એને ઊચકી લે છે. પૂછે છે : 'તું રડે છે કેમ? તને ખબર નથી - એ મૃત્યુ પામી છે? આપણે બધાં મૃત્યુ પામવાનાં છીએ.'


પરંતુ એ વખતે બાળક તો પેલી સ્ત્રીના સુંદર વાળ, એની મોટી મોટી આંખો અને રતાશ પડતા હોઠો વિશે જ વિચારતો હતો. એને હવે જે દેખાતું હતું તે શું હતું? એ કાકાને પૂછે છે : 'એના વાળ, એના હોઠ, એની આંખો ક્યાં ગયાં?' કાકા એને કહે છે : 'ગયું બધું ગયું. એ બધું ધરતી ભરખી ગઈ.'


બાળક પૂછે છે : 'શા માટે? શા માટે? હું નથી ઇચ્છતો કે લોકો મરી જાય.' એના કાકા પાસે કોઈ જવાબ નથી. એ માત્ર એટલું જ કહી શકે છે: 'તું મોટો થશે ત્યારે તને બધું સમજાઈ જશે.'


શું સમજવાનું હોય છે, મોટા થઈને? શું યાદ રાખવાનું હોય છે - પહેલીવાર ત્રણ પગથિયાં ચઢતાં પણ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય છે તે? એક સુંદર, હસતી, વહાલભર્યો સ્પર્શ કરતી વ્યક્તિના શરીરનું માટીમાં ભળી જવું?


જીવનમાં જ્યારે બધું જ પહેલીવાર બને છે ત્યારે એનો કોઈ અર્થ સમજાતો નથી અને જ્યારે અર્થો સમજાવા લાગે છે ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હોય છે.



The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

ગાંધી ચીંઘ્યો માર્ગ એટલે?

ગાંધી ચીંઘ્યો માર્ગ એટલે?

 
૮૦ વર્ષ પહેલાં બારમી માર્ચે ગાંધીજીએ દાંડીકૂચ કરીને હક માટેની લડાઇનો જે માર્ગ બતાવ્યો તે રાજકારણીઓ માટે એક્સપ્રેસ વે બની ગયો છે. શું આપણે ગાંધીચીંઘ્યા માર્ગે ચાલીએ છીએ?


રાજકોટના એક માર્ગને પંદરેક વર્ષ પૂર્વે વજુ કોટક નામ આપવામાં આવ્યું અને તે નામકરણ વિધિ પછી મોરારીબાપુએ પ્રવચનમાં એવું કહ્યું હતું કે રસ્તાને નામ આપી દેવાથી કામ પૂર્ણ થતું નથી, સાચી શ્રઘ્ધાંજલિ તો ત્યારે કહેવાય જ્યારે તે વ્યક્તિના અધૂરા કામો આપણે કરીએ, તેમણે બતાવેલા માર્ગ પર ચાલીએ.


બાપુની આ વાતમાં સંમત થવાનું મન થાય તેમ છે કારણ કે આપણે મહાન લોકોના જીવન અને આદર્શોને પ્રતિમા કે મ્યુઝિયમો કે પુસ્તકો પુરતાં જ લગભગ રહેવા દઇએ છીએ, કે પછી કોઇ અંગત લાભ માટે તે નામ લઇએ છીએ. જેને લીધે જીવન યોગ બની શકે તેવા લોકોના નામનો ઉપયોગ એ પરંપરા છે અને આપણા દેશમાં આવું નામ છે મહાત્મા ગાંધી.


વર્તમાનપત્રોના પ્રેસનોટના ડેસ્ક પર જા કાગળો આવે તેમાં દરરોજ પાચ-છ પ્રેસનોટમાં નીચે એવું લખ્યું જ હોય કે, 'જો અમારી માંગણી નહીં સંતોષાય તો ગાંધીચીંઘ્યા માર્ગે આંદોલન થશે.' લખવા માટે તો આ વાત તદ્ન સહેલી છે પરંતુ ક્યારેક શાંતિથી વિચાર કરવા જેવો છે કે શું છે આ ગાંધીચીંઘ્યો માર્ગ?


આમ તો ગાંધીજી જાન્યુઆરી અને ઑક્ટોબરમાં જ યાદ કરવાની 'નેશનલ બ્રાન્ડ' છે પરંતુ જો તેઓના ચીંધેલા માર્ગ થકી તેમને યાદ કરવા હોય તો માર્ચની ૧૨મી તારીખ શ્રેષ્ઠ છે કેમ કે તે દાંડીકૂચનો આરંભ થયો હતો અને આખો દેશ મીઠાની એક ચપટીથી જાગ્યો હતો.


અમદાવાદથી દાંડી સુધીની આ યાત્રા ગાંધીચીંઘ્યા માર્ગની સાચી ઓળખ કહી શકાય અને ગાંધીચીંઘ્યો માર્ગ એ કોઇ લીસો કે પહોળો રાજમાર્ગ નથી તે અટપટ્ટી, કાંટાળી કેડી છે. હા એટલું ચોક્કસ કે તેનો છેડો ચોક્કસ પ્રકારની ઉંચાઇએ આવે છે. પરંતુ ગાંધીચીંઘ્યા માર્ગની આપણી વ્યાખ્યા અને તેના મૂળ તત્વો બંન્નોમાં મોટા તફાવત છે.


શેખાદમ આબુવાલા અહીં કેમ ન સ્મરે? 'ગાંધી તું સસ્તો બની ગયો, તારે નહોતું થવું પણ શિરસ્તો બની ગયો, તને ખબર છે તારું થયું છે શું?, તું ગાંધીનગર જવાનો રસ્તો બની ગયો' ગાંધીજીને વર્ષોથી સૌએ પોતપોતાનું સાઘ્ય હાંસલ કરવાનું સાધન તરીકે લીધા છે અને તેથી જ ગાંધીચિંઘ્યો માર્ગ ઓન પેપર રહ્યો છે. બાકી તેમના પોતાના જ શબ્દોનું સ્કેનિંગ કરીએ તો ખ્યાલ આવે કે ત્યાં ચાલવું અઘરૂ છે.


સ્વતંત્રતા-ઇન્ડિપેન્ડસનો અર્થ આપણે તદ્દન જુદો અને ખોટો કરીએ છીએ. સ્વતંત્ર હોવું એટલે આપણા માટે કોઇપણ ઓફિસમાં કોઇપણ તંત્ર સામે ગમે તેવી માંગણીઓ મુકવી અને તે ન સંતોષાઇ તો પથ્થરો મારવા, ચક્કાજામ કરવા. અલબત્ત લોકતંત્રમાં કોઇપણ સત્તા લોકોની સેવા માટે છે અને તે સેવા મેળવવાનો લોકોનો હક છે.


પરંતુ સ્વતંત્રતાનો ગર્ભિત ગાંધીયન મિનિંગ તો એ થાય છે કે લોકો પોતે જ પોતાનું તંત્ર ચલાવે. સફાઇ હોય કે અન્ય સેવા કોઇ સત્તા પર અવલંબન શા માટે રાખવું? ગાંધીજીને જ્યારે દક્ષિણ આફ્રિકામાં કડવા અનુભવ થયા ત્યારે તેઓ હેર ડ્રેસર કે લોન્ડ્રીવાળા સાથે ઝઘડવા નહોતા ગયા તેમણે પોતે જ તે વ્યવસ્થા કરી લીધી હતી. આપણી સ્વતંત્રતાની વ્યાખ્યા તદ્દન જુદી જ છે.


આપણે ત્યાં ટ્રાફિક કે અન્ય સમસ્યા માટે ટીપ્પણી કરનારા અને આક્ષેપો કરનારા અનેક લોકો છે તો રાજકીય પક્ષો તો શાસકોને કોઇપણ રીતે ઝુડવાની તક શોધતા હોય છે. ગાંધીજીનું વલણ કંઇક જુદું જ હતું. અસ્વચ્છતા કે અરાજકતાની ટીકા કરનારા કોઇ પક્ષે કોઇ દિવસ પોતાના ૧૦૦ કાર્યકરને પણ એવી જવાબદારી સોંપી? કે તેઓ વહીવટીતંત્રની સાથે રહીને જાહેરસેવા સુધારવાનું કામ કરે.


માત્ર સુત્રોચ્ચાર કરવા તે સ્વતંત્રતા નથી. ખરી સ્વતંત્રતા લોક અને તંત્ર વચ્ચે એકસૂત્રતા ચ્ચાય તેમાં છે. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો હકનું બીજ ફરજ છે. આપણે બધા આપણી ફરજ અદા કરીએ તો હક આપણી પાસે જ છે. ફરજ છોડીને હક માટે લડવા જઇશું તો તે ઝાંઝવાના નીર જેવું છે - બેંક અને અન્ય સરકારી યુનિયનોને ગાંધીજીના આ અવતરણ અર્પણ છે.


લોક અને તંત્રમાં અલગ ન હોય પરંતુ બંન્નો એકબીજાના પુરક અને આધાર બની શકે તેવી વિભાવના ગાંધીજીના વિચોરમાંથી ટપકતી હતી અને તેમણે ખોટા હક માટે ક્યારેય આગ્રહ નહોતો રાખ્યો એટલે તો તેમના જીવનનું અન્ય એક નામ પણ છે-સત્યાગ્રહ. પ્રજાએ ગાંધીજી પાસેથી શીખવાનું છે તો શાસકોએ પણ ગાંધીચીંઘ્યા માર્ગે સફર કરવાની છે.


'આપણે સૌ એક પિતાના સંતાન' પુસ્તકમાં બાપુના આ શબ્દો છે. મને નામની રાજ્ય સત્તા નથી જોઇતી કામની જોઇએ છે. આ આપણું સાઘ્ય નથી પણ પ્રજાની સ્થિતિ દરેક રીતે સુધારવાનું સાધન છે. 'સાચો પ્રજાવાદી એ જ છે જે શુઘ્ધ અહિંસક સાધનોથી પોતાની અને પોતાના દેશની અને સરવાળે આખી માનવ જાતિની સ્વતંત્રતાની રક્ષા કરશે'.


ગાંધીજીને નબળાનું બળ કહેવાયા છે અને તેમણે પ્રજાને સતત પ્રેરણા આપી છે. 'આપખુદ સરકાર પણ તેની રૈયતની સંમતિ વિના ટકી શકે નહીં, રૈયત આપખુદ શાસકના પશુ બળથી ડરથી બંધ થતાની સાથે તેની સત્તા નષ્ટ થાય છે.


પોતાના હકને નુકસાન ન પહોંચતું હોય ત્યારે ઉપરી સત્તાને અરજ કર્યા છતાં દાદ ન મળે તો સહન કરવું રૈયતની ફરજ છે. પરંતુ અસહ્ય દુ:ખની સામે થવાનો દરેક પ્રજા તેમજ વ્યક્તિનો હક્ક તેમજ ધર્મ છે'


ગાંધીજીના વિચારો અને વ્યક્તિત્વ હંમેશા ચર્ચાસ્પદ રહ્યા છે અને બ્રહ્મચર્ય સહિતની તેમની અનેક બાબતો એવી છે જેમાં આપણે અસંમત હોઇ શકીએ. પરંતુ તે બધું જ બાદ કર્યા પછી પણ ઘણું એવું છે જે અનન્ય છે. કોઇ હોટલમાં બેઠા હોઇએ અને કોઇ માંગવા આવે ત્યારે આપણે કદાચ એક રૂપિયો આપતા નથી.


વિચાર તો કરો એ માણસે એક ગરીબ સ્ત્રીને જોઇને આખી જિંદગી એક વસ્ત્ર જ પહેરવાનું વ્રત લઇ લીધું! પ્રજાના દુ:ખ જોઇને દુ:ખી થવું અને તેના સુખ માટે મથવું એ ગાંધીચીંઘ્યો માર્ગ છે. અને તેમણે માત્ર રાજકીય ઉપદેશો નથી આપ્યા પ્રજા જીવન પર એક અમીટ છાપ છોડી છે, અંતમાં એક જ ઉદાહરણ,જે 'ધાર્મિક' લોકોને જગાડવા માટે બસ છે.


'જનોઇ તો હું ધારણ નહીં કરું, અસંખ્ય હિન્દુઓ જે નથી પહેરતાં છતાં હિન્દુ ગણાય છે. તે મારે પહેરવાની હું જરૂર નથી જોતો વળી જનોઇ ધારણ કરવી એટલે આપણે શુઘ્ધ થવું, ઉર્ઘ્વગામી થવું.


અત્યારે હિન્દુ સમાજ અને હિન્દુસ્તાન પડેલાં છે તેમાં જનોઇ પહેરવાનો આપણને અધિકારી ક્યાં છે. હિન્દુ સમાજ અસ્પૃશ્યતાનો મેલ ધુવે, ઉચ્ચનીચની વાત ભુલી જાય, બીજા ઘર કરી ગયેલાં દોષો કાઢે. ચોમેર ફેલાયેલાં અધર્મ પાખંડ દૂર કરે ત્યારે તેને જનોઇનો અધિકાર ભલે હો'.


gandhiji
Sent by Shri Vimal Dobariya, SSAM, Jilla Panchayat, A'bad.. 9898887088.


Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

Monday, March 15, 2010

ABL Description

Activity Based Learning (ABL)
Activity - Based Learning (ABL) Modules (Joyful Learning)
The ABL approach is unique and effective to attract out-of -school children to schools. The teachers who are involved in implementing this method have developed activities for each learning unit which facilitated readiness for learning, instruction, reinforcement and evaluation. ABL has transformed the classrooms into hubs of activities and meaningful learning.
ABL – An innovative approach
The ABL concept has been taken from the Rishi Valley practices.
       Initially, a core team was asked to investigate the current practices of classroom process and find out the reasons for the low achievement of children. As the team members had rich exposure in the field of primary education they had strong faith on children, parents, teachers and the government that they would not be responsible for low achievement of children. Then, after close study in some of the schools in the rural & corporation area, the team identified the following as the malady of conventional process.



˜ Teacher dominates the classroom always.
˜ Rare use of teaching learning materials.
˜ Most of the time the lecture method was followed.
˜ Importance was given to rote learning.
˜ Teachers are under the assumption that they know everything and
children do not know anything.
˜ Teacher assumes uniform learning pace and uniform level of achievement among children.
˜ The gap between teacher and children are more.
˜ Focus is given on teaching rather than learning.
˜      No scope to cover the loss of learning during the period of absence of children.
˜Multigrade and multi level is not addressed.
˜ Traditional way of evaluation.
˜ Absence of joyous based extra activities.

˜ Absence of play way and learning by doing activities.
˜ Less chance for mutual and self learning.
˜ Coverage of syllabus by the teacher and not by the children.
˜ Classroom with less facilities for learning activities.
˜ Instructional materials neither intensive nor attractive.
˜ Lack of learning freedom - more of time restricted environment.
To overcome the above malady in teaching learning process a suitable strategy called

Activity Based Learning (ABL)
The Process of ABL approach

˜ Competencies are split into different parts/units and converted into different activities.
˜ Each part/unit is called a milestone.
˜ In each subject, the relevant milestones are clustered and linked as
   
chain and this chain of milestones is called LADDER.
˜ Milestones are arranged in a logical sequence from simple to
   
complex and also activities in each milestone.
˜ To enable the children to organize in groups group cards are used.

˜ Evaluation is inbuilt in the system. Separate cards / activities are used for this purpose.
˜ Each child is provided with workbook/worksheet for further reinforcement activities.
˜ Children's progress are recorded through annual assessment chart.

Each milestone has different type of activities such as introduction, reinforcement, practice, evaluation, remedial and enrichment activites represented by different logos.

Benefits of ABL approach


---> Children learn on their our pace..
---> Provision of more time for self-directed learning and teacher directed learning is reduced considerably..
---> Group learning, mutual learning and self learning are promoted..
---> Teachers teaching time is judiciously distributed among children. Only needy children are addressed by teachers..
---> Children's participation in every step is ensured in the process of learning..
---> Evaluation is inbuilt in the system it is done without the child knowing it..
---> Rote learning is discouraged and almost no scope for rote learning..
---> Periodical absence of child from school is properly addressed..
---> Classroom transaction is based on child's needs and interests..

---> Freedom to child in learning as he chooses his activity..

---> Multigrade and multilevel in learning is effectively addressed..

---> No child can move to the next higher step of learning unless attains the previousone..

---> Sense of achievement boosts child's confidence and morale..

---> Attractive cards and activity create interest among children..

---> Scope for child's development in creative and communicative skills..

---> Children will have a feel of security as they sit in rounds in the groups..

---> Children are allowed to move in the classroom as they choose their activity..

---> Moreover the distance between the teacher and the child is largely reduced and the teacher acts as a facilitator rather than teacher..



I Hear; I forget,


I see; I remember,


I do; I understand

 
Guided by Y.K.




Activity Based Learning (ABL) Training Programme

          The aim of Activity-Based Learning MGML (ABL) is to change the teacher from an authority in knowledge to a facilitator for the student to discover knowledge. When anyone experiences interest in something, whether it is a subject, sport or activity, nothing will stop him or her from learning all they can about it. Academic subjects can also be introduced from an interesting perspective, where fun is a gateway for learning.


        The teacher changes from authority to facilitator by finding ways to present a syllabus that is based on fun. Many types of games and activities can be modified for school use and once children understand and enjoy the games, they will create games for themselves and other classes. Whether through play or through games created for learning, children automatically remember the subject involved. Just because children and teachers are enjoying the games does not mean that the subject matter gets lost; on the contrary, the subject matter is the starting point.

MGML(ABL) gives joy to children, and teachers have the satisfaction of imparting a life-long love for learning. The following topics will be covered in the training:

<1>A clear idea of the aim of MGML(ABL)

<2>How to present MGML(ABL) to a class

<3>Materials and methods for MGML(ABL)

<4>How to make MGML(ABL) relevant to the students

<5>How to reinforce what was learned from MGML(ABL)

<6>How to involve the children in creating and implementing MGML(ABL)



Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW!.

Std-1st activity based classroom

Here is some pictures of std-1st classroom which has a totaly activity based of teaching.. As a CRC i marked that students are more enjoying in this type of activity based teaching instead of simple methods. . . Classroom created by Smt. Nitaben Godecha, Asst. Teacher, Janiyapir Pri. School, CRC Gamdi, Dascroi, A'bad..

Monday, March 01, 2010

Gamdi Pay Centre School.

Here is the introduction of Gamdi Pay centre school Under Gamdi CRC Centre, Gamdi is Situated near the Sardar Patel ringroad beetween Aslali Circle and Vinzol Circle.. Just want to show the activities of Gamdi Primary School , it have 5 Teachers in it & 59+81=140 students

Kamruddin I Shaikh - Principal,
Manguben M Patel - Asst. Teacher
Arunaben V Parmar- Asst. Teacher
Navinchandra Patel- Asst. Teacher
Darshnaben R Solanki- Asst. Teacher